
(બોડી ડિટોક્સઃ જીરામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આ તમારી વજન ઘટાડવાની પ્રક્રિયામાં ફાયદાકારક છે.)(કેલરી ફ્રીઃ જીરું કેલરી ફ્રી છે. તેથી તેનું સેવન કરવાથી, તમારા શરીરમાં કોઈ કેલરી પહોંચતી નથી. તમે તેને તમારા રોજિંદા જીવનમાં કોઈપણ ચિંતા વગર લઈ શકો છો.)

(ધાણાનું પાણી પીવાના ફાયદા : ધાણાનું પાણી બનાવવા માટે તમારે તેને પાણીમાં ઉકાળવું અથવા પલાળી રાખવું. આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેના પીવાના કેટલાક ખાસ ફાયદા છે.)(ડાયેટરી ફાઈબરથી ભરપૂર: ધાણાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પેટને વધુ પડતું ખાવાથી પણ બચાવે છે. તેનાથી ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા થતી નથી.)(ચયાપચયમાં મદદરૂપ: ધાણાનું પાણી મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.)

કોણ વધુ સારું છે? : બંને પાણી વજન ઘટાડવા માટે સારા છે. પરંતુ તેઓ તમને તમારા શરીર પ્રમાણે અસર કરે છે. ઉદાહરણ તરીકે જો તમે પાચન અને ધીમી ચયાપચયથી પીડાતા હોવ અને તમારું બ્લડ શુગર લેવલ બરાબર નથી તો તમારે જીરું પાણી પસંદ કરવું જોઈએ. જો તમને હોર્મોન્સનું સંતુલન, પાચનતંત્રની સમસ્યા, કબજિયાત જેવી સમસ્યાઓ છે તો તમારા માટે ધાણાના પાણીનું સેવન કરવું ઠીક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. TV 9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી.)