Gold Price Today: અજા એકાદશીના દિવસે ફરી ઘટ્યો સોનાનો ભાવ, જાણો કેટલું સસ્તું થયું સોનું
19 ઓગસ્ટના રોજ બજાર ખુલતા જ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

અજા એકાદશીના દિવસે બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી વધઘટ જોવા મળી છે. 19 ઓગસ્ટના રોજ બજાર ખુલતા જ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે કોઈ જ ઘટાડો કે વધારો નોંધાયો નથી. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,320 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 92,890 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,170 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,790 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,220 રૂપિયા છે.

દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,17,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં પણ 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અવકાશ આપ્યો છે. તે જ સમયે, યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ટેરિફને કારણે ફુગાવાની ચિંતાઓને હળવી કરી છે. સોનાના ભાવમાં ફેરફારનું આ કારણ છે.

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

આ ભાવ અંદાજિત છે અને વાસ્તવિક બજાર ભાવમાં ફેરફાર થઈ શકે છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજ છે, જે સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે. આ માહિતી 1 ઓગસ્ટ, 2025 ના રોજ અપડેટ કરવામાં આવી હતી, તેથી ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
