
ઘા અને સોજો ઘટાડે છે: એરંડા તેલમાં રહેલું તત્વ રિસિનોલિક એસિડ બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમે નાના ઘાને મટાડવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલ લગાવવાથી સ્નાયુઓના દુખાવામાં પણ રાહત મળે છે.

ત્વચા માટે ફાયદા: એરંડાનું તેલ એક ઉત્તમ ત્વચા મોઇશ્ચરાઇઝર છે. તમે તેને ત્વચાને અનુકૂળ હોય તેવા હળવા તેલ સાથે ભેળવીને લગાવી શકો છો. તે ત્વચાને પોષણ આપે છે અને તેને નરમ રાખે છે. જો કે તેને લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો.

આઈબ્રો જાડી કરવા માટે: એરંડાનું તેલ વાળના વિકાસમાં સુધારો કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેમની પાંપણ અને આઈબ્રો ખૂબ જ પાતળા હોય છે, તો તમે એરંડાનું તેલ લગાવી શકો છો. આનાથી તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે. જોકે, તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)