
બંન્ને ટીમો વચ્ચે છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડકપ 2024ના રોજ રમાય હતી. જેમાં ભારતીય ટીમે 6 રનથી જીત મેળવી હતી. જેમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી. અને ટીમને મેચ જીતાડી હતી.

ટી20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તો વાઈસ કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે.

જેમાં જસપ્રીત બુમરહાની વાપસી થઈ છે. આગામી એશિયા કપ માટે ભારતીય ટીમ યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધવા માંગે છે જેથી T20 વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરી શકાય.ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ