
ભારતીય ટીમે રવિવારના રોજ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. પહેલગામ આતંકીહુમલા બાદ ભારત સરકારના ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવ ચાલુ રહ્યો.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું, "મેં ક્યારેય કોઈ વિજેતા ટીમને ટ્રોફી ન મળે તેવું જોયું નથી. પરંતુ મારા માટે, મારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ મારી સાચી ટ્રોફી છે."

ભારતીય ટીમે આખી ટૂનામેન્ટમાં ક્યારે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 3 મેચ રમી હતી. આ ત્રણેય મેચ ભારતીય ટીમે જીતી હતી.
Published On - 10:35 am, Mon, 29 September 25