
તેમ છતાં, રેન્કિંગમાં તેમની ગેરહાજરીએ ચાહકોમાં મૂંઝવણ ઊભી કરી હતી. કેટલાક સમયથી, અટકળો ચાલી રહી હતી કે શું આ બંનેએ શાંતિથી ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે .

જોકે, આ સમગ્ર ઘટના ICC તરફથી એક ટેકનિકલ ભૂલ હતી. ICCએ તરત જ ભૂલ સ્વીકારી અને તેને સુધારી. હવે લેટેસ્ટ અપડેટ પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI રેન્કિંગમાં પાછા ફર્યા છે.

ICCની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં, રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે. ગયા અઠવાડિયે પણ આ બંને ખેલાડીઓ એક જ સ્થાન પર હતા, જે સ્પષ્ટ કરે છે કે તેમના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પહેલા, તેઓએ 2024 T20 વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODIનો ભાગ છે.

ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે, જ્યાં ODI શ્રેણી રમાશે. આ બંને ખેલાડીઓ આ શ્રેણીમાંથી મેદાનમાં પાછા ફરી શકે છે. હાલમાં બંને ખેલાડીઓ બ્રેક પર છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 9:48 pm, Wed, 20 August 25