
નવદીપ સૈનીએ સ્પોર્ટ્સ યારી સાથેની એક મુલાકાતમાં કહ્યું, "ના, મને એવું નથી લાગતું. આ સફેદ અને ગ્રે દાઢી એક કુદરતી બાબત છે. તેનાથી શું ફરક પડશે? ખેલાડી એનો એ જ રહેશે અને મને ખાતરી છે કે ભૈયા ભવિષ્યમાં ચોક્કસ રમશે."

વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે બધા જ ફોર્મેટમાં ખૂબ જ શાનદાર બેટિંગ કરી છે. તેની કેપ્ટનશીપ પણ મજબૂત રહી છે અને કોહલીનું ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ મોટું ફેન ફોલોઈંગ છે.

વિરાટ કોહલી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો જેમાં તેણે પાંચ ઈનિંગ્સમાં 54.50ની સરેરાશથી 218 રન બનાવ્યા હતા. તેના પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ જીતી હતી.

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 3 મેચની ODI શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં વિરાટ કોહલી રમી શકે છે. વિરાટ કોહલી આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરશે તેવી ફેન્સને અપેક્ષા છે.(All Photo Credit : PTI / GETTY / INSTAGRAM)
Published On - 4:46 pm, Thu, 21 August 25