
ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખાનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તેઓ એક ભારતીય તબલાવાદક હતા, જેમણે તબલા વગાડવાની કળાને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી હતી.

અલ્લાહ રખા તેના સાત ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પિતા (ઉસ્તાદ ઝાકિર હુસૈનના દાદા) ઇચ્છતા ન હતા કે અલ્લા રખા સંગીત શીખે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા 12 વર્ષના હતા ત્યારે તેઓ તેમના કાકાને મળવા ગુરદાસપુર આવ્યા હતા. અહીં તેણે પહેલીવાર તબલા જોયા.

અલ્લાહ રખાને તબલા ગમ્યા. આ પછી તેઓ સંગીત શીખવા માટે પંજાબ સ્કૂલ ઑફ ક્લાસિકલ મ્યુઝિકમાં આવ્યા. તેઓ ઉસ્તાદ મિયાં ખાદરબખ્શ પખાવજીના શિષ્ય હતા. તબલા પ્રત્યેની તેમની ઊંડી રુચિએ તેમને મહાન તબલાવાદક બનાવ્યા. તેણે થોડો સમય પઠાણકોટની એક થિયેટર કંપનીમાં પણ કામ કર્યું હતુ.

ઉસ્તાદ અલ્લાહ રખાએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન બાવી બેગમ સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રો, ઝાકિર હુસૈન, ફઝલ કુરેશી અને તૌફિક કુરેશી અને બે પુત્રીઓ ખુર્શીદ ઓલિયા ને કુરેશી અને રઝિયા હતા. તેમના બીજા લગ્ન ઝીનત બેગમ સાથે થયા હતા. જેમને એક પુત્રી રૂહી બાનો અને પુત્ર સાબીર હતો. રૂહી બાનુ 1980ના દાયકાની લોકપ્રિય ટીવી અભિનેત્રી હતી.

હુસૈનને બે ભાઈઓ હતા. તૌફિક કુરેશી અને ફઝલ કુરેશી. તેમના ભાઈ મુનવરનું નાની વયે મૃત્યુ થયું હતું, જ્યારે તેના પર હડકાયા કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.હુસૈનનો જન્મ થયો તે પહેલાં તેની મોટી બહેન બિલકીસનું અવસાન થયું હતું. 2000માં તેમના પિતાના મૃત્યુના થોડા કલાકો પહેલાં અન્ય એક બહેન, રઝિયા મૃત્યુ પામી હતી. તેની ખુર્શીદ નામની બીજી બહેન છે.

ઝાકિર હુસૈને કથક નૃત્યાંગના અને શિક્ષિકા એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા, જેઓ તેમના મેનેજર પણ હતા.તેમને બે દીકરીઓ હતી, અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી. અનીસા યુસીએલએમાંથી સ્નાતક થઈ છે અને એક ફિલ્મ નિર્માતા છે. ઇસાબેલ નૃત્યનો અભ્યાસ કરી રહી છે.

ઝાકીર હુસૈને 3 વર્ષની ઉંમરે તેના પિતા પાસેથી (શાસ્ત્રીય પર્ક્યુસન ઇન્સ્ટ્રુમેન્ટ) વગાડવાનું પણ શીખ્યું અને 12 વર્ષની ઉંમરે કોન્સર્ટમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું. હુસૈને રવિશંકર, અલી અકબર ખાન અને શિવકુમાર શર્મા સહિત ભારતના લગભગ તમામ મહાન કલાકારો સાથે કામ કર્યું હતુ.

મુંબઈમાં આવેલી સેન્ટ માઈકલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ ઝાકિર હુસૈને પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પરંતુ ગ્રેજ્યુએશન પૂરું કરતા પહેલા જ તે સેલિબ્રિટી બની ગયા હતા.

ભારતના સૌથી પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારોમાંના એક પર્ક્યુશનિસ્ટ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ઝાકીર હુસૈને તેની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં પ્રાપ્ત થયા હતા. છ દાયકાની તેમની કારકિર્દીમાં, સંગીતકારે ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતુ.

22 વર્ષની ઉંમરે, એટલે કે 1973માં, ઝાકિર હુસૈને તેનું પહેલું આલ્બમ 'લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ' લોન્ચ કર્યું હતુ. જેમાં દિગ્ગજ હસ્તીઓ આવી હતી.

પોતાના તબલા વડે દુનિયાનું દિલ જીતનાર ઝાકિર હુસૈને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. તેણે પોતાના કરિયરમાં 12 ફિલ્મો કરી છે.
Published On - 8:34 pm, Mon, 16 December 24