
હવે અભિનેત્રીના પતિએ આ અફવા પર મૌન તોડ્યું છે. એક મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું આ બિલકુલ ખોટી વાત છે પરંતુ હજુ સુધી હંસિકાએ આ મામલે કાંઈ પણ કહ્યું નથી.

રિપોર્ટ મુજબ હંસિકા લગ્ન બાદ પોતાના પતિ સોહેલ અને તેના માતા-પિતા સાથે રહેતી હતી પરંતુ બાદમાં તે બિલ્ડિંગમાં શિફ્ટ થઈ હતી પરંતુ બાદમાં અભિનેત્રીએ પોતાની માતા સાથે રહેવા લાગી હતી.

અનેક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, પોતાના પતિના પરિવાર સાથે સારા સંબંધો રહ્યા નથી. પરંતુ સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિની સાથે ફોટો શેર કર્યા નથી.

હંસિકા અને સોહેલના લગ્ન બાદ અભિનેત્રીને લઈ વાતો ચાલી રહી હતી. સોહેલના પહેલા લગ્ન હંસિકાના મિત્ર સાથે થયા હતા પરંતુ બાદમાં બંન્નેએ છુટાછેડા લીધા બાદ હંસિકા સાથે લગ્ન કર્યા હતા