રણબીર કપૂર અને આલિયા ભટ્ટ - બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થયા બાદ એક્ટર રણબીર કપૂર સામે શુક્રવારે વારાણસીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ થર્ડની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ એડવોકેટ રાજા આનંદ જ્યોતિ સિંહે લગાવ્યો છે. તેને કહ્યું કે ફિલ્મમાં રણબીરને હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક મંદિરમાં જૂતા પહેરીને પ્રવેશ કરે છે અને પછી ઘંટ વગાડતો બતાવવામાં આવ્યો છે. આ સિવાય રિલીઝ પહેલા પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલ દર્શન માટે ઉજ્જૈન ગયા હતા, પરંતુ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે, બંને સ્ટાર્સ દર્શન કર્યા વિના જ પાછા ફર્યા હતા. આ ફિલ્મની રિલીઝ પહેલા જ રણબીરની એક જૂની ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેને કહ્યું હતું કે તેને બીફ ખાવું ગમે છે. રણબીરનો આ ઈન્ટરવ્યુ 11 વર્ષ પહેલાનો એટલે કે 2011નો છે.