
અનિલ અગ્રવાલે તેમની કારકિર્દી સ્ક્રેપ મેટલ ટ્રેડિંગથી શરૂ કરી. આ વ્યવસાય દ્વારા તેમને ધાતુ ઉદ્યોગની ઊંડી સમજ મળી. 1986માં તેમણે સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની સ્થાપી, જે જેલી ભરેલા કેબલનું ઉત્પાદન કરતી હતી. ત્યારબાદ 1993માં તેમણે ભારતની પ્રથમ ખાનગી કોપર સ્મેલ્ટર અને રિફાઇનરી સ્થાપી.

તેમનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ 2001માં આવ્યો, જ્યારે તેમણે બાલ્કો (BALCO) અને ત્યારબાદ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) નું સંપાદન કર્યું. આ બંને ખરીદીઓએ તેમને ઉદ્યોગજગતમાં "મેટલ કિંગ" તરીકે ઓળખ અપાવી.

આજે વેદાંતા ગ્રુપ ઝીંક, કોપર, એલ્યુમિનિયમ, ચાંદી, વીજળી, લોખંડ, સ્ટીલ, તેલ અને ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. અગ્રવાલના નેતૃત્વ હેઠળ કંપનીએ ભારતની સરહદો પાર કરીને વૈશ્વિક સ્તરે પોતાની હાજરી સ્થાપી છે. હાલ કંપની સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ રોકાણ કરી રહી છે, જે ભારતના “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને વેગ આપે છે.

હુરુન રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે બિહારના ફક્ત ચાર લોકો લિસ્ટમાં હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધી ને છ થઈ ગઈ છે — જેમાં અનિલ અગ્રવાલ સૌથી આગળ છે.