પાટણ જિલ્લાના કેટલાક ગામ થયા પાણીમાં ગરકાવ, સરહદી વિસ્તારના નદીકાંઠે વસતા ગામોને આવી 2017ના પુરની યાદ
પાટણના સરહદી વિસ્તારના નદીકાંઠે સતા ગામોને 2017ના પુરની યાદ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસનદીમા નવા નીરની આવક શરુ થઈ છે. પણીની આવકથી ફરી એકવાર 2017ના પુર જેવી પરીસ્થિતિનું નીર્માણ પાટણ જિલ્લાના સાંતલપુર અને વારાહી તાલુકાના ગામોનું થયું છે. સાંતલપુરનું વઘુ એક ગામ પાણીમાં ડૂબ્યુ છે. અબીયાણા ગામ પાણીમાં ગરકાવ થઈ […]
પાટણના સરહદી વિસ્તારના નદીકાંઠે સતા ગામોને 2017ના પુરની યાદ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસનદીમા નવા નીરની આવક શરુ થઈ છે. પણીની આવકથી ફરી એકવાર 2017ના પુર જેવી પરીસ્થિતિનું નીર્માણ પાટણ જિલ્લાના સાંતલપુર અને વારાહી તાલુકાના ગામોનું થયું છે. સાંતલપુરનું વઘુ એક ગામ પાણીમાં ડૂબ્યુ છે. અબીયાણા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
બનાસનદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યોં છે. ભારે વરસાદથી બનાસનદીના ઘસમસતા પાણીના પ્રવાહે પોતાના વહેણ બદલતા સાંતલપુર, વારાહીના ગામો પાણીમાં ગરકાવ થયા છે. અનેક રહેવાસ અને મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. અબીયાણા ગામમાં મોડીરાતથી સતત પાણીનો પ્રવાહ વઘતા લોકો ઘરો પર રહ્યાં અને ઘરમાં રહેલ પોતાના સામાનને બચાવવા કામે લાગ્યા હતા. તો બીજીબાજુ એકાએક બનાસનદીનુ પાણી ગામમાં ફરીવળતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેટલું જ નહિ તંત્ર દ્વારા પણ ગામલોકોને સતર્ક ન કરાતા લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો