પત્નીની આ નાની તકલીફને કારણે 3 વર્ષમાં બદલ્યા 18 ઘર, કંટાળીને પતિએ માંગ્યા છૂટાછેડા
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીના એક ડરના કારણે પતિએ ૩ વર્ષમાં 18 ઘર બદલ્યા. છેવટે કંટાળીને તેને હવે છૂટાછેડાની માંગ કરી છે.
સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે કોઈને ઘર ગમતું ન હતું, ત્યાંનું વાતાવરણ સારું ન હતું, તેથી લોકો ઘર બદલાતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ વંદાના ડરથી 18 મકાનો બદલાયા હોય? મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવું જ બન્યું છે.
વંદો જોઇને પત્ની ઘર બદલવા માટે માંગ કરતી
અહીં એક દંપતીને લગ્નના ત્રણ વર્ષ થયા છે અને તે દરમિયાન તેઓએ 18 મકાનો બદલી નાખ્યા છે. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની વંદાથી ખૂબ ડરે છે અને ઘર બદલવાની માંગ શરૂ કરે છે. આના કારણે તેને અને તેના પરિવારને ઘણી મુશ્કેલીઓ અને શરમનો સામનો કરવો પડે છે.
પતિએ આરોપ લગાવ્યો છે કે વંદો દેખાય ત્યારે પત્ની ચીસો પાડવા લાગે છે અને ઘરની વસ્તુઓ રસ્તા પર મૂકવા લાગે છે. પતિ તેની પત્નીની આ પ્રવૃત્તિઓથી એટલો નારાજ થઈ ગયો છે, હવે તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે પતિએ કાયદાની શરણ લીધી છે.
પત્નીનો આરોપ, પરિવારે તેને પાગલ જાહેર કરી દીધી
જોકે અગાઉ પતિએ પત્નીને એઈમ્સ, હમીદિયા સહિત અનેક ખાનગી માનસિક ચિકિત્સકોને બતાવી દીધી છે પરંતુ પત્ની દવા ખાવા તૈયાર નથી. તે જ સમયે પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેની સમસ્યાઓ સમજી શકતો નથી અને તેને પાગલ જાહેર કરવા માટે દવાઓ ખવડાવી રહ્યો છે.
જ્યારે પતિ-પત્ની વચ્ચે મામલો વધતો ગયો ત્યારે પરિવાર તૂટી ન જાય તેવી ઇચ્છા પર મામલો બ્રધર વેલ્ફેર સોસાયટીમાં પહોંચ્યો હતો. આ સંસ્થા પુરુષોના હિતમાં કાર્ય કરે છે. બંનેની કાઉન્સલિંગ અહીંથી શરૂ થઈ. આ સંગઠનના સ્થાપક જકી અહમદે જણાવ્યું હતું કે જ્યારે પતિને છૂટાછેડા માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે પતિએ કહ્યું કે જ્યારે પત્નીને વંદો દેખાય છે ત્યારે તે ઘર છોડી દે છે.
2018 માં પ્રથમ ઘર બદલવામાં આવ્યું હતું
પતિ વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે અને બંનેના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. લગ્ન પછી પત્નીએ વંદો જોતાં તેણીએ એટલી ઝડપથી ચીસો પાડી કે આખો પરિવાર ગભરાઈ ગયો. આ પછી, પત્નીએ રસોડામાં જવાનું બંધ કરી દીધું અને ઘર બદલવાની જીદ લીધી. વર્ષ 2018 માં પહેલીવાર ઘર બદલવામાં આવ્યું હતું.
થોડા દિવસો પછી પત્નીને ફરી આવી જ સમસ્યા આવી. લગ્ન પછી, પતિ અને તેના પરિવારે 18 વાર ઘર બદલાયા છે. જોકે પત્નીનું કહેવું છે કે તે વંદાને જોઈને ના ડરવા માટે સખત કોશિશ કરે છે પરંતુ એવું થતું નથી.
આ પણ વાંચો: ફિલ્મફેર અવોર્ડ પર ભડકી કંગના, કહ્યું, – દંગા ભડકાવનારાઓને આપવામાં આવે છે એવોર્ડ
આ પણ વાંચો: તારક મહેતામાં પાછા ફર્યા દયાબેન! પરંતુ આ છે ટ્વિસ્ટ, નિર્માતાએ જણાવી આ વાત