જાણો પેટ્રોલ પંપ પર તમને મળતા અધિકારો વિશે, જો લાભ લેતા રોકવામાં આવે તો, અહીં કરી શકો છો ફરીયાદ

જો તમને કોઇ પણ સુવિધાનો લાભ લેવાથી રોકવામાં આવે અથવા તો કોઇ અડચણ આવે તો તમે પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરીયાદ નોંધાવી શકો છો

જાણો પેટ્રોલ પંપ પર તમને મળતા અધિકારો વિશે, જો લાભ લેતા રોકવામાં આવે તો, અહીં કરી શકો છો ફરીયાદ
Petrol Pump file Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 9:50 AM

તમે જ્યારે પણ પેટ્રોલ પંપ (Petrol Pump) પર જાઓ છો, ત્યારે તમારા ખિસ્સા ખાલી થઇ જાય છે. કારણ કે પેટ્રોલ ડિઝલનો ભાવ જ આભને આંબતો હોય છે. તમે અઠવાડિયામાં એક વાર તો પેટ્રોલ પંપની મુલાકાત લેતા જ હશો. પરંતુ શુ તમે જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં (Free facility at petrol pump) મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તો જાણીએ કે કઇ કઇ સુવિધાઓનો લાભ પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે.

મફત હવા – તમે જોતા હશો કે પેટ્રોલ પંપ પર હવા ભરવાની મશીન મુકવામાં આવી હોય છે. આ મશીન એ જ મફત સેવાઓમાંની એક છે. પેટ્રોલ પંપના માલિકે આ મશીન મુકાવવાની હોય છે. જે પણ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે તેમની ગાડીઓમાં ફ્રીમાં હવા ભરી આપવાની હોય છે. હવા ભરાવવા માટે ગ્રાહકોએ કોઇ રૂપિયા આપવાના રહેતા નથી. પંપના માલિકે આ કામ માટે એક વ્યક્તિને પણ રાખવાનો હોય છે.

પીવાનું ચોખ્ખુ પાણી – પેટ્રોલ પંપ પર પિવાના સાફ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગ્રાહકો અહીં પીવાના સાફ પાણીની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ તરફથી ગ્રાહકોને ફ્રીમાં આપવાની હોય છે. આ સુવિધા માટે પંપના માલિક આરઓ પ્યુરિફાયર લગાવડાવે છે. કેટલાક પેટ્રોલ પંપ પર ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શૌચાલયની સુવિધા – પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા અનિવાર્ય છે. આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવાની હોય છે એટલુ જ નહી તેમણે આ શૌચાલયને નિયમિત રીતે સ્વચ્છ પણ રાખવુ પડે છે. જો આ સુવિધાને લઇને કોઇ પણ પ્રકારની સમસ્યા આવે છે અથવા તો જો શૌચાલય સ્વચ્છ હાલાતમાં ન હોય તો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છે. ગ્રાહકની ફરીયાદ પર પંપ માલિકને જવાબ પણ આપવો પડી શકે છે.

ફોન – જો તમને ઇમરજન્સીમાં કોઇને ફોન કરવા હોય તો પેટ્રોલ પંપ પર આ સુવિધા તમને મફતમાં મળશે. પેટ્રોલ પંપ શરૂ કરવાની સાથે જ ત્યાં એક ટેલિફોન નંબર પણ શરૂ કરવો પડે છે જેથી પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે.

પ્રાથમિક ઉપચાર કિટ – દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક ઉપચાર કિટ એટલે કે ફર્સ્ટ એડ કિટ રાખવી જરૂરી છે. દરેક પેટ્રોલ પંપ પર આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવામાં આવે છે. જો અચાનક કોઇ ઘટના બને તો હોસ્પિટલ પહોંચવા પહેલા આ કિટનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે.

ક્વોલિટી ચેક – તમને પેટ્રોલની ક્વોલિટી ચેક કરવાનો અધિકાર મળે છે. તમે ક્વોલિટીની સાથે સાથે ક્વોંટીટી પણ ચેક કરી શકો છો. આની સાથે પેટ્રોલ પંપ પર હંમેશા અગ્નિશામક ઉપકરણ હોવા જરૂરી છે જેથી આગ લાગવાની કોઇ ઘટના બને તો તેને તરત બુજાવી શકાય

જો તમને કોઇ પણ સુવિધાનો લાભ લેવાથી રોકવામાં આવે અથવા તો કોઇ અડચણ આવે તો તમે પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરીયાદ નોંધાવી શકો છો અથવા તો http://pgportal.gov.in/. પર જઇને તમારી ફરીયાદ રજીસ્ટર કરાવી શકો છો.

આ પણ વાંચો – Cricket: જીવન સંઘર્ષથી ગુસ્સામાં રહેતો મોહમ્મદ શામી નિવૃત્તી જાહેર કરનારો હતો, આ બે ભારતીય દિગ્ગજોએ રોકી લીધો

આ પણ વાંચો –

IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">