સૂકા ધાણાના આ ફાયદાથી તમે હજી સુધી હશો અજાણ, જાણો ધાણાના ફાયદા
ભારતીય રસોઈમાં સ્વાદ વધારવા માટે ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા ધાણાની સાથે સૂકા ધાણા એટલે કે ધાણાના બીજ પણ ખાઈ શકાય છે. આજે અમારી હેલ્થ સ્ટોરીમાં અમે તમને બતાવીશું સૂકા ધાણાના ફાયદાઓ. 1). ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે […]
ભારતીય રસોઈમાં સ્વાદ વધારવા માટે ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા ધાણાની સાથે સૂકા ધાણા એટલે કે ધાણાના બીજ પણ ખાઈ શકાય છે. આજે અમારી હેલ્થ સ્ટોરીમાં અમે તમને બતાવીશું સૂકા ધાણાના ફાયદાઓ.
1). ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
2). પાચનપ્રક્રિયામાં પહેલાથી જ ધાણા બહુ ઉપયોગી સાબિત થયા છે. સૂકા ધાણા ખાવાથી બાઈલ એસિડ બને છે. જે પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તેના સેવનથી ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.
3). સૂકા ધાણા આર્થરાઈટ્સમાં પણ રાહત આપે છે. તેમાં લીનોલિક એસિડ જોવા મળે છે. જે એન્ટી આર્થરાઈટ્સની જેમ કામ કરે છે.
4). કન્જક્ટિવાઈટ્સ : એટલે કે જયારે આંખો લાલ અથવા ગુલાબી થઇ જાય છે ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા થાય છે. બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણને કારણે આવું થાય છે. ત્યારે સૂકા ધાણામાં એન્ટી બેક્ટેરિયલ તત્વો આવેલા હોવાથી આ બીમારીમાં રાહત મળે છે.
5). હૃદય સ્વાસ્થ્ય, માસિક ધર્મ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનીજ અને વિટામિન ભરપૂર હોવાથી વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે.
તમે સૂકા ધાણાનો ઉપયોગ ખડા મસાલા તરીકે કરી શકો છો. સમોસા બનાવતી વખતે તડકામાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ધાણાને પીસીને તેનો પાઉડર મસાલા તરીકે પણ વાપરી શકાય છે. ધાણાના બીજ ઉકાળીને તેની ચા પણ પી શકાય છે.
આ પણ વાંચોઃતમારુ વજન વધારે છે, તો આ સૂકોમેવો વજન ઘટાડવામાં કરશે મદદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો