રવિ શાસ્ત્રીએ કહી એવી વાત કે તમે WORLD CUP દરમિયાન પ્રાર્થના કરશો કે વિરાટ કોહલી BATTING કરવા માટે ન આવે !

વિરાટ કોહલી એટલે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન, ટીમ ઇન્ડિયાનો આધાર સ્તંભ, મૅચ વિનર ખેલાડી. પરંતુ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહી છે એવી વાત કે તમે એક વાર તો આ જ પ્રાર્થના કરશો કે વર્લ્ડ કપની મૅચો દરમિયાન વિરાટ કોહલી બૅટિંગ કરવા માટે મેદાન પર ઉતરે, તેવી પરિસ્થિતિ જ ન સર્જાય. Web Stories View more 30 […]

રવિ શાસ્ત્રીએ કહી એવી વાત કે તમે WORLD CUP દરમિયાન પ્રાર્થના કરશો કે વિરાટ કોહલી BATTING કરવા માટે ન આવે !
Follow Us:
| Updated on: Feb 07, 2019 | 6:11 AM

વિરાટ કોહલી એટલે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન, ટીમ ઇન્ડિયાનો આધાર સ્તંભ, મૅચ વિનર ખેલાડી.

પરંતુ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહી છે એવી વાત કે તમે એક વાર તો આ જ પ્રાર્થના કરશો કે વર્લ્ડ કપની મૅચો દરમિયાન વિરાટ કોહલી બૅટિંગ કરવા માટે મેદાન પર ઉતરે, તેવી પરિસ્થિતિ જ ન સર્જાય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હકીકતમાં રવિ શાસ્ત્રી ચાલુ વર્ષે મેમાં યોજાનાર WORLD CUP 2019 દરમિયાન કૅપ્ટન વિરાટ કોહલી ચોથા નંબરે બૅટિંગ કરે, તેવું વિચારી રહ્યા છે.

શાસ્ત્રીની વાતને રમતના મેદાનના હિસાબે વિચારીએ, તો સીધી વાત છે કે ભારતની 2 વિકેટ પડી જાય, ત્યારે વિરાટ કોહલીએ બૅટિંગ માટે ઉતરશે.

શાસ્ત્રીનું માનવું છે કે ઇંગ્લૅંડમાં પરિસ્થિતિઓ બૉલરોને અનુકૂળ હશે. એટલે કે શાસ્ત્રીને શંકા છે કે ભારતની એક-બે વિકેટ જલ્દી-જલ્દી પડી શકે છે. શાસ્ત્રી કહે છે કે તેઓ વિરાટ કોહલીને શરુઆતની નહીં, પણ પછીની ઓવરો માટે બચાવવા માંગે છે. શાસ્ત્રીએ કહ્યું કે ચોથા નંબરે બૅટિંગ કરતા કોહલી મધ્ય અને નિચલા ક્રમની બૅટિંગને મજબૂત કરશે.

રવિ શાસ્ત્રીએ એક વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું, ‘ભારતના ટોચના બૅટ્સમૅનો વિશે સારી વાત એ છે કે પરિસ્થિતિને જોતા અમે તેમને તારવી શકીએ છીએ. કોહલી જેવો બૅટ્સમૅન ચોથા નંબરે ઉતરી શકે અને બૅટિંગ ક્રમમાં વધુ સંતુલન માટે અમે ત્રીજા નંબરે કોઇક બીજા બૅટ્સમૅનને ઉતારી શકીએ છીએ.’

શાસ્ત્રીનો કહેવાનો અર્થ એ છે કે જો શરુઆતના બૅટ્સમૅનો સસ્તામાં પૅવેલિયન ભેગા થઈ જાય, તો કોહલી અને ત્યાર બાદના બૅટ્સમૅનો પર દબાણ વધી શકે છે. એવામાં સવાલ આ થઈ રહ્યો છે કે કોહલીને ઊપરી ક્રમમાં ઉતારવો યોગ્ય રહેશે કે નહીં ? તેના જવાબમાં શઆસ્ત્રીએ કહ્યું, ‘આ ફ્લેક્સિબિલિટી છે અને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેંટ માટે આપે ફ્લેસિબલ થવું પડશે કે જેથી જોઈ શકાય કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ શું છે. ઇંગ્લૅંડની પરિસ્થિતિઓ જોયા બાદ અમે તેનું આકલન કરીશું. હું નથી ઇચ્છતો કે કોઈ મોટી ટૂર્નામેંટમાં 18 રન પર 3 કે 16 રન પર 4 વિકેટ પડી જાય. હું દ્વિપક્ષીય વનડે સિરીઝની ચિંતા નથી કરતો, પણ વિશ્વ કપમાં હું પોતાનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનને જલ્દી કેમ ગુમાવી દઉં.’

નોંધનીય છે કે અંબાતી રાયડૂએ ન્યૂઝીલૅંડ પ્રવાસમાં હૅમિલ્ટન વનડેમાં 90 રનની મૅચ વિનિંગ ઇનિંગ રમી હતી અને શાસ્ત્રીએ કહ્યું કે રાયડૂ ત્રીજા સ્થાન માટે વિકલ્પ હોઈ શકે છે. એટલે કે કોહલી પહેલા રાયડૂને મોકલી શકાય છે.

[yop_poll id=1165]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">