કેમ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના થઇ રહ્યા છે મોત? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર પર પૂરતી સુવિધા ન હોવાનો દર્દીના પરિવાર જનોએ કર્યો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર પર પૂરતી સુવિધા ન હોવાનો દર્દીના પરિવાર જનોએ આક્ષેપ કર્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રહેતા 55 વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો થતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની ટૂંકી સારવાર બાદ આજે મહિલાનું મોત નીપજ્યું છે. જેમાં દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં પૂરતી સુવિધા આપવામાં નથી આવી […]
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર પર પૂરતી સુવિધા ન હોવાનો દર્દીના પરિવાર જનોએ આક્ષેપ કર્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રહેતા 55 વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો થતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની ટૂંકી સારવાર બાદ આજે મહિલાનું મોત નીપજ્યું છે. જેમાં દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં પૂરતી સુવિધા આપવામાં નથી આવી રહી. કોરોના નહીં પરંતુ બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું છે. આ સાથે મૃતક મહિલા અને તેના પુત્ર વચ્ચે થયેલ વાતચીતની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં તેમને જમવાનું ન આપવામાં આવતું હોવાનું અને પૂરતી કાળજી ન રાખતાનો આક્ષેપ ખુદ મૃતક દર્દીએ કર્યો હતો. આ સાથે દર્દીના સગા સાથે ટેલીફોનિક વાત ચિત પર હોસ્પિટલ તંત્ર દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવતા અચાનક મૃત્યુનો સ્વીકાર કેમ કરવો તે સવાલ દર્દીના પરિવાર જનોએ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રીએ સીએમ ડેશ બોર્ડથી વર્ચ્યુલ ટુર કરી હતી, જેમાં સબ સહી સલામતનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: મગફળીના પાકનું બેસણું! જેતપુરના ખેડૂતોનો અનોખો વિરોધ, મગફળીના પાકની કરી અંતિમ વિધી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો