ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 580 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારને પાર
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 580 નવા દર્દીઓ નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 532 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં ગુજરાતમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. With 580 new cases reported today, number of total […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 580 નવા દર્દીઓ નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 532 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં ગુજરાતમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
With 580 new cases reported today, number of total coronavirus cases crosses 30,000 mark in #Gujarat. 18 deaths reported today and 532 patients discharged.#TV9News #GujaratCoronaUpdate #gujaratcorona pic.twitter.com/NBxDeapdy7
— tv9gujarati (@tv9gujarati) June 26, 2020
આ પણ વાંચો : વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર
ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,772 લોકોએ ગુમાવ્યો જીવ
રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના વાઈરસથી અત્યારસુધીમાં 1,772 લોકોનો જીવ ગયો છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ અત્યારસુધીમાં 22038 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકની કોરોના વાઈરસની સ્થિતિ પર નજર કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા 6,348 નોંધાઈ છે. આ કેસમાં 61 દર્દીને વેન્ટિલટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6278 દર્દીની તબિયત સ્થિર છે.
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 30 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા વધીને 30,158 થઈ ગઈ છે. જ્યારે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 20058 નોંધાયા છે. આમ સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે 1398 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો