નર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ
મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી […]
મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી નાખીને 9.54 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાઠે આવેલા 21 ગામને એલર્ટ કરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો