સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા
મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ […]
મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા લગાવ્યા બાદ જળાશયમાં 138 મીટર સુધી પાણી ભરી શકાય છે.
આ પણ વાંચોઃJEE-NEETની પરીક્ષાના મુદ્દે રાજકીય રંગ, કેન્દ્ર સરકાર વિરુધ્ધ બિન ભાજપ સરકાર મેદાને
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો