શ્રેય હોસ્પિટલના વોર્ડ બોયનુ નિવેદનઃ ICUમાં ધડાકો થયો અને 3થી4 મિનીટમાં જ ખેલ ખતમ, 11 દર્દીઓને જીવના જોખમે બચાવ્યા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગ અંગે હોસ્પિટલના વોર્ડ બોય ચિરાગ પટેલે સમગ્ર ઘટના અંગે ટીવી9 ગુજરાતીને જણાવ્યુ હતુ કે, આઈસીયુ (ICU) વોર્ડમાં ધડાકો થયો અને 3થી4 મિનીટમાં જ ખેલ ખતમ થયો. આઈસીયુની બહારના વોર્ડમાં પણ દર્દીઓ દાખલ હતા. 11 દર્દીઓને જીવના જોખમે હોસ્પિટલ સ્ટાફે જ બચાવ્યા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા તેનો ઉપયોગ […]
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગ અંગે હોસ્પિટલના વોર્ડ બોય ચિરાગ પટેલે સમગ્ર ઘટના અંગે ટીવી9 ગુજરાતીને જણાવ્યુ હતુ કે, આઈસીયુ (ICU) વોર્ડમાં ધડાકો થયો અને 3થી4 મિનીટમાં જ ખેલ ખતમ થયો. આઈસીયુની બહારના વોર્ડમાં પણ દર્દીઓ દાખલ હતા. 11 દર્દીઓને જીવના જોખમે હોસ્પિટલ સ્ટાફે જ બચાવ્યા છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા તેનો ઉપયોગ કરીને આગને પ્રસરતા અટકાવી છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટના હતા કે નહી તે ખબર નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો