ઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા
દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો […]
દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડીને શંકાસ્પદ અકસ્માત મામલે તપાસ થાય તેવી માગ કરી છે. ઝાલોદના નગરજનોએ હિરેન પટેલના પરિવારને બંધ પાડીને સમર્થન આપ્યું છે. હાલ તો હિરેન પટેલના પરિજનોએ આ મામલે ન્યાયની માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો