તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોણ હશે નવી દયાભાભી ? શો-ના પ્રોડ્યુસરે શું કર્યો ખુલાસો ?

શું તારક મહેતા સિરિયલમાં નવી દયાભાભી આવશે ? કે, દીશા વાકાણી જ આ શો-માં ફરી પરત ફરશે ? આ સવાલો ઘણા સમયથી ટીવી દર્શકોને સતાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક સમાચારે હમણા જોર પકડયું છે. આ સમાચાર છે સિરીયલમાં નવી દયાભાભી વિશે. જો તમે સિરીયલમાં દયાભાભીના કિરદારને મિસ કરી રહ્યા છો. તો તમારા માટે […]

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કોણ હશે નવી દયાભાભી ?  શો-ના પ્રોડ્યુસરે શું કર્યો ખુલાસો ?
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Dec 11, 2020 | 8:29 PM

શું તારક મહેતા સિરિયલમાં નવી દયાભાભી આવશે ? કે, દીશા વાકાણી જ આ શો-માં ફરી પરત ફરશે ? આ સવાલો ઘણા સમયથી ટીવી દર્શકોને સતાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક સમાચારે હમણા જોર પકડયું છે. આ સમાચાર છે સિરીયલમાં નવી દયાભાભી વિશે.

જો તમે સિરીયલમાં દયાભાભીના કિરદારને મિસ કરી રહ્યા છો. તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. કારણ કે સિરીયલનાં પ્રોડયુસર આસિત મોદીએ એક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છેકે શો-માં નવા દયાભાભીનું ટુંક જ સમયમાં આગમન થશે. તો કોણ બનશે દયાભાભી ? આ જાણવા આગળ વાંચો.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

પાછલા 12 વર્ષથી તારક મહેતા સિરીયલ લોકોનું મનોરંજન કરે છે. અને આ સિરીયલના દરેક પાત્રો લોકોને પસંદ આવી રહ્યા છે. તેમાંપણ ખાસ કરીને જેઠાલાલ અને દયાભાભીની જોડી લોકોને ખુબ જ પસંદ છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી દયાભાભીનું પાત્ર આ સિરીયલમાં ખાલી છે.

દિશા વાકાણી માતા બન્યા બાદ આ શો-માં હજુસુધી પરત ફર્યા નથી. અને દિશા વાકાણીની સિરીયલમાં આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ, આખરે આ આતુરતાનો હવે અંત આવશે તેમ એક અહેવાલોમાં જાણવા મળ્યું છે.

હકીકતમાં જેઠાલાલને દયાબેન પોતાની સિરીયલમાં નહીં, પરંતુ એક રિયાલિટી શો-માં મળ્યા છે. અને, આવું થવાનું એક ડાંસ-શોમાં, ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર શો-માં તારક મહેતા સિરીયલની આખી ટીમ આ વિક-એન્ડ એટલે કે શનિવાર-રવિવારે નજરે પડશે.

આ ડાંસ શો-માં કોરિયોગ્રાફર રૂતુઝા જુનારકર દયાબેનના પાત્રમાં જેઠાલાલ સાથે ડાન્સ કરતી જોવા મળશે. એટલું જ નહીં ડાંસ શોમાં રૂતુઝા જુનારકર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને ટપ્પુ કે પાપા કહેતી પણ જોવા મળશે.

આ ડાંસ શો-માં રૂતુઝા દયાભાભીના પાત્રમાં એટલી ફિટ બેસી ગઇ કે સિરીયલના પ્રોડયુસર ખાસ્સા પ્રભાવિત થયા. અને, રૂતુઝાને તારક મહેતા સિરીયલમાં દયાભાભીનું પાત્ર નિભાવવા માટે પ્રોડયુસરે પોતાની ઇચ્છા દર્શાવી. આ ઇન્ડીયાઝ બેસ્ટ ડાંસ શો આવતા શનિ-રવિવારે આઠ વાગ્યે પ્રસારિત થવાનો છે.

છેલ્લા 3 વર્ષથી દયાબેનની વાપસીને લઇને અનેક અટકળો છે. ત્યારે સિરીયલના સ્પોટ બોયના જણાવ્યા પ્રમાણે દિવાળી અને નવરાત્રી બાદ દયાબેનની વાપસી થશે.

ખબર એવી પણ છેકે હવે સિરીયલના પ્રોડ્યુસર દયાબેનના પાત્રને જલ્દી સિરીયલમાં દર્શાવા માગે છે. જેથી દિશા વાકાણી જો સિરીયલમાં વાપસી નહીં કરે તો અન્ય કલાકારને ચાન્સ આપવામાં આવશે.

દયાબેનના પાત્રને લઇને સિરીયલના પ્રોડયુસર અન્ય કલાકારને લેવા ઇચ્છતા નથી. પરંતુ, સિરીયલમાં દયાબેનના ખાલી પાત્રને ભરવાનો હવે સમય આવી ગયો હોવાનું પણ જણાવે છે. ત્યારે હવે જોવું રહ્યું કોણ બનશે નવી દયાભાભી ? કે દિશા વાકાણી જ આ કિરદારને નિભાવશે ? તેની રાહ જોવી રહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">