તક્ષશિલા દુર્ઘટનામાં જુવાનજોધ દિકરો ગુમાવનાર માતાપિતાને મળ્યું જીવવાનું નવું કારણ! IVF પદ્ધતિથી 17 વર્ષ પછી ફરી પ્રાપ્ત થયું પુત્રસુખ
24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને […]
24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને આ પહેલા તેમના બીજા દીકરાને પણ ગુમાવ્યો હતો પણ તક્ષશીલા દુર્ઘટનામાં 17 વર્ષીય મીતની વિદાય આ પરિવાર માટે વજ્રઘાત સમાન હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે 44 વર્ષીય દિલીપભાઈ અને 43 વર્ષીય ચંદનબેન સાંઘાણીના જીવનમાં 17 વર્ષ બાદ ફરી ખુશીનો અવસર આવ્યો છે. આધુનિક તબીબી તકનીકના કારણે 20 ઓગષ્ટે ફરી વાર બાળકને જન્મ આપ્યો છે. બે સંતાનોને ગુમાવ્યા બાદ હવે સાંઘાણી પરિવારના ચહેરા પર ફરીવાર ખુશી આવી છે. અગ્નિકાંડના દોઢ મહિના પછી આ દંપતી IVF નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને ડૉક્ટર દિલીપ ડોલરીયાએ તેમને આશાની કિરણ બતાવી હતી અને IVF પદ્ધતિથી તેઓએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. પરિવારનું માનવું છે કે તેમને ત્રીજા સંતાનમાં પણ પુત્ર સુખ મળતા જાણે તેમનો ગુમાવેલો દીકરો પાછો મળ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો