સુરતની રિક્ષાઓ પર નવો ટ્રેન્ડ શરૂ થયો, અધિકૃત આદેશ ન હોવા છતાં રિક્ષાઓ પર પોલીસમથકનાં નામ લખવાનો નવો ચીલો.
સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું મોટું સાધન એકમાત્ર રિક્ષાઓ છે. શહેરમાં 70 હજાર કરતા પણ વધુ રિક્ષાઓ ફરે છે. પણ હાલના દિવસોમાં એક નવો જ ચીલો આ રિક્ષાચાલકોમાં જોવા મળી રહ્યો છે. જે છે રિક્ષાના હુડ પર પોલીસ મથકનું નામ લખવાનો. મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેન્ડ માત્ર ને માત્ર દેખાદેખીમાં, એકબીજાના મોઢેથી વાત […]
સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું મોટું સાધન એકમાત્ર રિક્ષાઓ છે. શહેરમાં 70 હજાર કરતા પણ વધુ રિક્ષાઓ ફરે છે. પણ હાલના દિવસોમાં એક નવો જ ચીલો આ રિક્ષાચાલકોમાં જોવા મળી રહ્યો છે. જે છે રિક્ષાના હુડ પર પોલીસ મથકનું નામ લખવાનો. મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેન્ડ માત્ર ને માત્ર દેખાદેખીમાં, એકબીજાના મોઢેથી વાત સાંભળીને જ થયું છે અને આ અંગે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું સત્તાવાર જાહેરનામું કે સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું નથી. તો આવું કરવા પાછળનું કારણ શું છે.
શહેરોમાં ફરતી કોઈપણ રીક્ષા પાછળ ક્યાં તો તમને અભિનેતાઓ અભિનેત્રીઓના ફોટોગ્રાફ્સ જોવા મળે નહીં તો કોઈ શાયરીઓ લખેલી કે જાહેરાત જોવા મળે. પણ તાજેતરમાં સુરતની રિક્ષાઓ પાછળ તમને આ પ્રકારે જે તે પોલીસ સ્ટેશનના નામ લખેલા જોવા મળશે. મહત્વની વાત તો એ છે કે આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. છતાં સુરતના રિક્ષાચાલકોમાં આ નવો ચીલો જોવા મળી રહ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેનાથી બચવા માટે તેઓએ આ પોલીસ સ્ટેશનોના નામ લખાવ્યા છે. તો કેટલાક રિક્ષાચાલકો એકબીજાનું જોઈને આ પ્રકારે પોલીસ સ્ટેશનના નામ લખાવી રહ્યા છે.
સુરત રિક્ષાચાલક એસોસિયેશન પણ આ તમામ માહિતીથી અવગત છે. એક પોલીસ મથકની રીક્ષા પર આવું લખાણ શરૂ થયું તે હવે શહેરની મોટાભાગની રિક્ષાઓ પાછળ જાણે આ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. જો આ પ્રકારે પોલીસ સ્ટેશનનું નામ ન લખાવવામાં આવે તો પોલીસ દંડ કરે છે તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. એટલે જાણ્યા મુક્યા વિના પણ રિક્ષાચાલકો આ જે તે પોલીસ સ્ટેશનનું નામ લખાવી રહ્યા છે.
જોકે સૌથી નવાઈની વાત તો એ છે કે આ અંગે કોઈપણ અધિકૃત આદેશ ટ્રાફિક ડીસીપી દ્વારા બહાર પાડવામાં આવ્યું જ નથી. એ બાબત અલગ છે કે રિક્ષાની અંદર સલામતી માટે જે તે રિક્ષાચાલકો પોતાની માહિતી તો લખતા જ હોય છે. પણ આ પ્રકારે પોલીસ સ્ટેશનના નંબરો ગુનાખોરી રોકવામાં મદદરૂપ થઇ શકે છે. જોકે આ સમગ્ર મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરનામુ બહાર પાડયાનો તેમણે ઇનકાર કર્યો હતો.જોકે શહેરમાં વધતી ગુનાખોરી ઉકેલવા RTO સાથે મળીને શહેરના રિક્ષાચાલકોના ડેટાબેઝ બનાવવા પર કામગીરી થઈ રહ્યું હોવાનું ટ્રાફિક વિભાગ જણાવી રહી છે. ત્યારે રિક્ષાચાલકોએ શરૂ કરેલો આ ટ્રેન્ડ પણ ફાયદાકારક જ દેખાઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો