ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે, આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નથી સારો

જો તમને વારંવાર કંઈ મીઠું એટલે કે સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય તો સૌથી પહેલા ખાંડ ખાવાનું ઓછું કરી દો. થોડા સમય માટે ખાડનો ઉપયોગ તદ્દન ઓછો કરી દો. જો સુગર ફ્રીનો ઉપયોગ કરતા હોવ તો તે પણ બંધ કરી દો. આમ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો જ થશે. આમાં પણ બે પ્રકારના લોકો હોય […]

ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે, આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નથી સારો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 24, 2020 | 11:01 AM

જો તમને વારંવાર કંઈ મીઠું એટલે કે સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય તો સૌથી પહેલા ખાંડ ખાવાનું ઓછું કરી દો. થોડા સમય માટે ખાડનો ઉપયોગ તદ્દન ઓછો કરી દો. જો સુગર ફ્રીનો ઉપયોગ કરતા હોવ તો તે પણ બંધ કરી દો. આમ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો જ થશે. આમાં પણ બે પ્રકારના લોકો હોય છે. એક એવા લોકો હોય છે જેમને કોઈપણ વસ્તુ જોઈને ખાવાનું મન થાય અને જો એકવાર એ વસ્તુ ચાખી લે તો પછી ખાધા જ કરે છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે, જે ખાવાની વસ્તુ જોઈને તેને ચાખીને સંતોષ માનતા હોય છે. આવા લોકો આઈસ્ક્રીમ, કોલડ્રિન્ક ખાય કે પીએ તો વજન વધતું નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભોજનમાં લોકો અમૂકવાર આર્ટિફિશયલ સ્વીટનરનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ હાઈ બ્લડપ્રેશર કે હાઈ કોલેસ્ટોરેલ હોય તેવા લોકોને આની અસર થાય ખરી ? જોકે હવે માર્કેટમાં જુદા જુદા રિસર્ચ કરીને શરીર માટે ઓછા નુકશાનકારક હોય એવા સ્વીટનર શોધવામાં આવ્યા છે. એટલે કે સ્વીટનર દરેક વખતે નુકશાનકારક હોતા નથી.

રોજબરોજના ખોરાકમાં અથવા ચા કોફીમાં ખાંડ અને ગોળનો ઉપયોગ ઓછો કરવો જ હિતાવહ છે. જેમ કે રોજ પીવાતા ચા, કોફી, દૂધ વગેરેમાં ખાંડ નાંખવાનું બંધ કરી દો અથવા ઓછી નાંખો. આમ કરવાથી લાંબા ગાળે ફાયદો થશે. આપણે જાણીએ છીએ કે વધારે મીઠું ખાવાથી વજન વધવાનું જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય અથવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો આવા લોકોએ બને ત્યાં સુધી સ્વીટનરનો ઉપયોગ ન કરવો. એથી ધીમે ધીમે ગળી વસ્તુ ખાવાનો સ્વાદ બદલવાની કોશિશ કરવી. આના માટે શરૂઆતમાં ખાંડ બંધ કરીને સ્વીટનરનો ઉપયોગ કરવાથી થોડું વજન ઘટશે અને કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશરમાં ફાયદો થશે પણ પછી ધીરેધીરે મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થશે એટલે ફરી વજન વધવાની સાથે એ જ જૂની સમસ્યાઓ ઉભી થશે.

રોજિંદા જરૂરી ગળપણ માટે દિવસ દરમ્યાન એક ચમચી ખાંડ લઈ શકાય છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન થોડા ડ્રાયફ્રુટ નાખીને મિલ્કશેક બનાવીને પી શકાય છે. આ રીતે આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ કર્યા વિના પણ તમે ગળ્યું ખાવાની આદતમાં પરિવર્તન લાવી શકો છો અને રોજિંદી જરૂરી શર્કરા પણ મેળવી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">