સુરતના વસંત ભિખાની વાડી પાસે લાલીયાવાડી, હપ્તા નહિં તો લારી પણ નહી, લાંચીયા કોર્પોરેટર અને અધિકારીઓના ઈશારે લારીઓ ઊંચકાતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

સુરતમાં અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધાઓ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં સુરતના વસંત ભિખાની વાડી પાસે પાલિકાની નીતિના બેવડા ધોરણો સામે આવ્યા છે. અનલોકના આ સમયમાં બધા જ લોકો પોતાનો ઠપ્પ થયેલો ધંધો રોજગાર બેઠો કરવા મથી રહ્યા છે ત્યાં ગરીબોનું કોઈ બેલી નથી એ બાબત સુરત મહાનગરપાલિકા સાબિત કરી રહી છે. વસંત […]

સુરતના વસંત ભિખાની વાડી પાસે લાલીયાવાડી, હપ્તા નહિં તો લારી પણ નહી, લાંચીયા કોર્પોરેટર અને અધિકારીઓના ઈશારે લારીઓ ઊંચકાતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 01, 2020 | 11:37 AM

સુરતમાં અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધાઓ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં સુરતના વસંત ભિખાની વાડી પાસે પાલિકાની નીતિના બેવડા ધોરણો સામે આવ્યા છે. અનલોકના આ સમયમાં બધા જ લોકો પોતાનો ઠપ્પ થયેલો ધંધો રોજગાર બેઠો કરવા મથી રહ્યા છે ત્યાં ગરીબોનું કોઈ બેલી નથી એ બાબત સુરત મહાનગરપાલિકા સાબિત કરી રહી છે.

વસંત ભિખાની વાડી પાસે વર્ષોથી શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ભરાય છે. પણ અહીંના સ્થાનિક કોર્પોરેટરની દાદાગીરીના કારણે લારી ચલાવતા શ્રમિકોની હાલત કફોડી બની છે. આ એવો વર્ગ છે જે અનલોક બાદ હાલ વતનથી આવીને રોજનું કમાવીને રોજનું ખાવા મહેનત કરી રહ્યા છે.  કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ પાસે હપ્તા ઉઘરાવીને જ ધંધા રોજગારની પરમિશન આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ શાકભાજી વિક્રેતાઓએ કર્યો છે. જો હપ્તા આપવાની ના પાડવામાં આવે તો શાકભાજીવાળાની લારી રસ્તામાં દબાણરૂપ હોવાનો હવાલો આપીને લારી ઊંચકી લેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પહેલી વાર નથી, આ પહેલા પણ શાકભાજી વિક્રેતાઓની રોજીરોટી પર તરાપ મારવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ હોવા છતાં માત્ર વસંત ભિખાની વાડી પાસે ધંધો કરતા શાકભાજી વિક્રેતાઓને ખોટી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

 પણ હાલ કોરોનાના કારણે પહેલાથી લોકોની આર્થિક હાલત કફોડી છે અને તેવા સમયે ગરીબોના પેટ પર કોર્પોરેટર અને અધિકારીઓ રુઆબ જમાવીને જે લાત મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે નિંદનીય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">