શ્રાવણ માસનાં પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર,પોલીસે સ્થિતિને કાબુમાં લેવા કરવો પડ્યો હળવો લાઠીચાર્જ
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે કોરોનાના કપરા કાળમાં દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ભોળાનાથના ભક્તો શિવ મંદિરોમાં જળાભિષેક કે બિલ્વપત્ર નહીં ચડાવી શકે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કુંડાળા દોરવામાં આવ્યા છે તો રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે. વાત […]
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે કોરોનાના કપરા કાળમાં દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ભોળાનાથના ભક્તો શિવ મંદિરોમાં જળાભિષેક કે બિલ્વપત્ર નહીં ચડાવી શકે. સોમનાથ મહાદેવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કુંડાળા દોરવામાં આવ્યા છે તો રાજ્યના અન્ય મોટા મંદિરોમાં ભક્તોને માસ્ક પહેર્યા વગર પ્રવેશ નહીં મળે. વાત ગીરસોમનાથની કરીએ તો સોમનાથ મંદીરમાં ભકતોની ભીડ ઉમટી પડી જેને લઈને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા, ભીડ થોડી બેકાબુ લાગતા પોલીસે ભકતો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. દર્શન કરવા આવેલા યુવક અને પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા.સોશિયલ ડિસ્ટન્સ જાળવવાને લઈ રકઝક કરતા પોલીસે માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.