સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મહેર, ત્રંબા નદીમાં નવા નીરની આવક, ગીરસોમનાથમાં સરસ્વતી નદીમાં પૂરથી માધવરાય મંદિર પાણીમાં ડુબ્યું, અનેક નદીમાં નવા પાણીની આવક

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, સરધાર, ત્રંબા અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમા વરસાદનાં કારણે ત્રંબાની ત્રિવેણી નદીમાં આવ્યા વરસાદી નીર, છેલ્લા એક કલાકમાં જસદણમાં અઢી ઈંચ વરસાદ પડી જતા નદીમાં પાણી નિહાળવા સ્થાનિકો નદી કાંઠે આવી રહ્યા છે તો રાજકોટ આજી ડેમમા પણ નવા નીર આવ્યા છે. આ સાથે અમરેલી , ગીરસોમનામાં પણ મેઘ […]

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મહેર, ત્રંબા નદીમાં નવા નીરની આવક, ગીરસોમનાથમાં સરસ્વતી નદીમાં પૂરથી માધવરાય મંદિર પાણીમાં ડુબ્યું, અનેક નદીમાં નવા પાણીની આવક
http://tv9gujarati.in/saurstra-panthak…nava-paani-aavya/
Follow Us:
| Updated on: Jul 05, 2020 | 7:03 AM

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, સરધાર, ત્રંબા અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમા વરસાદનાં કારણે ત્રંબાની ત્રિવેણી નદીમાં આવ્યા વરસાદી નીર, છેલ્લા એક કલાકમાં જસદણમાં અઢી ઈંચ વરસાદ પડી જતા નદીમાં પાણી નિહાળવા સ્થાનિકો નદી કાંઠે આવી રહ્યા છે તો રાજકોટ આજી ડેમમા પણ નવા નીર આવ્યા છે. આ સાથે અમરેલી , ગીરસોમનામાં પણ મેઘ મહેર જોવા મળી છે. સિઝનમાં પ્રથમવાર માધવરાય મંદિર પણ ડુબ્યું છે. જામનગર, કાલાવડ, નવસારી, ભરૂચમાં પણ વરસાદ નોંધાયો છે.

            રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

                  એક દિવસમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">