રાજ્યસભાની ચૂંટણી માટે બે મતદાન મથક, કોરોનાથી સંક્રમિત થયેલા ધારાસભ્યો માટે ખાસ મતદાન મથક
કોરોના મહામારી વચ્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં, કોરોનાથી સંક્રમીત થયેલા, કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ધારાસભ્યોના મતદાન કરવા માટે અલાયદા ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. 19મી જૂનને શુક્રવારના યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. મતદાન મથક માટે બે ખંડ રાખવામાં આવેલ છે. […]
કોરોના મહામારી વચ્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં, કોરોનાથી સંક્રમીત થયેલા, કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ધારાસભ્યોના મતદાન કરવા માટે અલાયદા ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે.
19મી જૂનને શુક્રવારના યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. મતદાન મથક માટે બે ખંડ રાખવામાં આવેલ છે. એક ખંડમાં ઊભા કરાયેલ મતદાન મથકમાં જે ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયુ નહોતુ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ના હોય તેમના માટે રહેશે જ્યારે બીજા ખંડમાં ઉભા કરાનાર મતદાન મથકમાં કોરોનાથી સંક્રમિત થયેલ ધારાસભ્ય કે કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ધારાસભ્યો મતદાન કરશે. અમદાવાદના ચાર ધારાસભ્યો, ઈમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને કિશોર થાવાણીને કોરોના પોઝીટીવ હતો. જો કે હવે તે ચારેય ધારાસભ્યો સંપૂર્ણ સ્વસ્થ છે.
ગુજરાત વિધાનસભાના ચોથા માળે ઉભા કરાયેલ મતદાન મથકમાં પ્રવેશતા પૂર્વે તમામ ધારાસભ્યોએ, તેમના શરીરનું તાપમાન આરોગ્ય વિભાગના કર્મચારી પાસે ચેક કરાવવું પડશે. જો શરીરનું તાપમાન સામાન્ય નહી હોય તો તેમણે કોરાના પોઝીટીવ થઈ ચુકેલા ધારાસભ્યો માટે અલાયદા ઉભા કરાયેલા મતદાન મથકમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન કરવું પડશે. જુઓ વિડીયો.