ગોંડલના વેકરી ગામ ડબલ મર્ડર કેસનો ઉકેલાયો ભેદ, પતિનો વારસો હડપવા પત્નીએ ખેલ્યો ખૂની ખેલ

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન હડપવા ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો. સાથે નિર્દોષ કારચાલકની પણ હત્યા કરવામાં આવી. આ ઘટના છે ગોંડલના વેકરી ગામ પાસેની. જ્યાં આવેલા પુલ પરથી ગુરુવારે રાત્રે 2 પુરુષોની લાશ મળી હતી. મર્ડર મિસ્ટ્રીની આ ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્નીએ તેના […]

ગોંડલના વેકરી ગામ ડબલ મર્ડર કેસનો ઉકેલાયો ભેદ, પતિનો વારસો હડપવા પત્નીએ ખેલ્યો ખૂની ખેલ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:03 AM

પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન હડપવા ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો. સાથે નિર્દોષ કારચાલકની પણ હત્યા કરવામાં આવી. આ ઘટના છે ગોંડલના વેકરી ગામ પાસેની. જ્યાં આવેલા પુલ પરથી ગુરુવારે રાત્રે 2 પુરુષોની લાશ મળી હતી. મર્ડર મિસ્ટ્રીની આ ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્નીએ તેના ભાઈ સાથે કાવતરું ઘડીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCBએ મૃતકના સાળાને ઝડપી લઈ ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોળ ચાલી રહી છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં રહેતા રમેશભાઈ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયમ અને મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમાએ ત્રણ દિવસ પહેલાં ચોટીલા માતાજીનાં દર્શન જવાનું આયોજન કર્યું હતું. તેઓ જૂનાગઢના અશ્વિન પ્રેમજીભાઇ પરમારની કાર ભાડે બાંધી ચોટીલા ગયાં હતાં. બાદમાં પરત ફરતી વખતે મંજુ ઉર્ફે મરિયમ ગોંડલ ઊતરી ગઇ હતી. એ સમયે મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીરે ડ્રાઇવર અશ્વિનને કાર વેકરી તરફ લેવાં જણાવ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ રસ્તામાં નાનજી ઉર્ફે નાસીરે પોતાના બનેવી રમેશભાઈ તથા કારચાલક અશ્વિનને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. બંન્ને દારૂ પીને નશામાં ભાન ભૂલી ગયા ત્યારે નાનજીએ વેકરી નજીક ડેમ પાસે કાર ઊભી રાખી. અને, દારૂના નશામાં ચકચૂર બનેવી રમેશભાઈ અને અશ્વિન સહિત કારને પુલ નીચે ધક્કો મારી દીધો હતો. જેથી કાર 20 ફુટ ઊંડા પાણીમાં ગરક થતાં રમેશભાઈ અને અશ્વિનભાઈનાં મોત નિપજયાં હતાં. બાદમાં નાનજી ઉર્ફે નાસીર ગોંડલ આવી બહેન મંજુને લઇ જૂનાગઢ પરત ફર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">