VIDEO: રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, જાણો રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય
અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. 22 મેથી એટલે આજથી શરૂ શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. રેલવે વિભાગ દ્વારા નક્કી કરેલા સ્ટેશન પર શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. મર્યાદિત સ્ટેશનો પર ફરીથી કામગીરી શરૂ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, ભુજ, ગાંધીધામ, પાલનપુર, […]
અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. 22 મેથી એટલે આજથી શરૂ શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. રેલવે વિભાગ દ્વારા નક્કી કરેલા સ્ટેશન પર શરૂ થશે રિઝર્વેશન કાઉન્ટર. મર્યાદિત સ્ટેશનો પર ફરીથી કામગીરી શરૂ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ, ભુજ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા અને વિરમગામ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રિઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવશે. લોકોએ પણ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાનું રહેશે. માત્ર બુકિંગ કરાવેલી જ ટિકિટ મળશે. ટિકિટનું રિફન્ડ હાલ પૂરતું બંધ રખાવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો