પોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો
સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના […]
સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના નિવાસસ્થાનના વીજ મીટરમાં ચેડા કરીને વીજ ચોરી થઈ હોવાનું જાહેર કર્યું. જેના આધારે અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે, જેમના કવાર્ટરના વીજ જોડાણમાં ચેડા થયેલા અને વીજ ચોરી થઈ હોવાનું વીજ કંપનીએ કહ્યું તે તમામે તમામ 12 પોલીસ કર્મચારીઓને પોલીસ આવાસ ખાલી કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચોઃઅમદાવાદના વિરાટનગરનુ નેશનલ હેન્ડલુમ સીલ, 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કરાયુ સીલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો