એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ […]
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ વડાપ્રધાને લખ્યું કે પછાત વર્ગોના સશક્તિકરણ તેમજ સમાજસેવા માટે પણ તેઓએ મહેનત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો