રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક
રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે […]
રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં પરીક્ષા યોજાઈ ગઈ હોય અને પરિણામ બાકી હોય તેમજ પરિણામ જાહેર થયા હોય પણ નિમણૂંકપત્રો આપવાના બાકી હોય તેવી પ્રક્રિયા શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાઈ હતી. જો કે, શાળા કોલેજો બંધ હોવાથી નવી ભરતી કે રોકાયેલી પરીક્ષાના આયોજન અંગે હાલ કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા નથી. ઉમેદવારો વતી દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ CMને પત્ર લખીને રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો