સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના જ ધારાસભ્યો પોતાની રજૂઆત કરી શકતા નથી. ભાજપમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. સાથે કહ્યું કે, કેતન ઈનામદાર સુધી રાજીનામાનો સરવાળો અટકતો નથી. અનેક ભાજપી ધારાસભ્ય અમારી પાસે આવીને સરકારની કામગીરીનો […]
સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના જ ધારાસભ્યો પોતાની રજૂઆત કરી શકતા નથી. ભાજપમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. સાથે કહ્યું કે, કેતન ઈનામદાર સુધી રાજીનામાનો સરવાળો અટકતો નથી. અનેક ભાજપી ધારાસભ્ય અમારી પાસે આવીને સરકારની કામગીરીનો બળાપો ઠાલવે છે. આગામી દિવસોમાં અનેક ધારાસભ્ય ખુલેને બહાર આવી શકે તેમ છે. અને સત્ય બોલનારા લોકોને કોંગ્રેસ સમર્થન આપશે. અને રાજ્યની જનતા પણ ભાજપને સબક શીખવાડશે.
તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપના અનેક લોકો નારાજ છે. અને લોકોની પણ સરકાર વિરુદ્ધ નારાજગી બહાર આવી રહી છે. સાથે દાવો કર્યો કે, ધારાસભ્યો પણ સરકાર વિરુદ્ધ બળવો પોકારવાના મૂડમાં છે. સરકારમાં ધારાસભ્યને કોઈ જવાબ આપતું નથી. અને ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. તો વિજય રૂપાણી વિશે કહ્યું કે, જો તે અડધી પીચ પર રમવા જશે ત્યારે તેના જ ધારાસભ્યો સ્ટમ્પિંગ દ્વારા આઉટ કરી દેશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો