પાલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની માટી બેસી જતા મંગલમુર્તિ એપાર્ટમેન્ટના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા, કોર્પોરેશને કામચલાઉ ધોરણે પુરાણ કરીને કાગળ પર કામગીરી બતાવી દીધી હોવાનો આક્ષેપ
ચોમાસુ વિધિવત રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે હજીપણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા મંગલમુર્તિ એપાર્ટમેન્ટની બહારનો જાહેર રસ્તો બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર પર ટાટા કંપની […]
ચોમાસુ વિધિવત રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે હજીપણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા મંગલમુર્તિ એપાર્ટમેન્ટની બહારનો જાહેર રસ્તો બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
આમ તો ડ્રેનેજ લાઈનના આ માટી બેસવાની શરૂઆત 25 સપ્ટેમ્બરથી જ થઈ હતી. તે સમયે પણ એપાર્ટમેન્ટના સ્થાનિકોએ કોર્પોરેશનમાં જાણ કરી હતી. ત્યારે કોર્પોરેશન દ્વારા માટી નાંખીને કામચલાઉ ધોરણે પુરાણ કરી દઈને કાગળ પર કામગીરી બતાવી દીધી હતી.
પણ એ પછી આજે બિલ્ડીંગના કમ્પાઉન્ડ વોલની દીવાલ સુધી આ રસ્તો બેસવાનું શરૂ થતાં લોકોમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર ઉષા પટેલ સહિત અધિકારીઓની ટીમ પણ આ બિલ્ડીંગ અને રસ્તાના નિરીક્ષણ માટે આવી પહોંચી છે.
ડ્રેનેજ લાઈનની માટી ધસવાનું કારણ શોધીને અને તેના રીપેરીંગ માટેની તજવીજ હવે હાથ ધરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો