ઓનલાઈન જોબ પોર્ટલે સુરતના 200 બેરોજગાર રત્નકલાકારોને અપાવી રોજગારી
કોરોનાને કારણે સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સૌથી વધુ અસર પામ્યા હતા. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ડાયમંડ ઉદ્યોગની હતી. લોકડાઉનને કારણે, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળયેલા કારીગરો બેરોજગાર બન્યા. જો કે સુરત અને યુએસ સ્થિત ડાયમંડ ઉદ્યોગકાર દ્વારા બેરોજગાર બનેલા, ડાયમંડના કારીગરો માટે ઓનલાઈન જોબ પોર્ટલ બનાવ્યું હતું. જેના થકી અત્યાર સુધીમાં 200 જેટલા બેરોજગાર […]
કોરોનાને કારણે સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ સૌથી વધુ અસર પામ્યા હતા. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ડાયમંડ ઉદ્યોગની હતી. લોકડાઉનને કારણે, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળયેલા કારીગરો બેરોજગાર બન્યા. જો કે સુરત અને યુએસ સ્થિત ડાયમંડ ઉદ્યોગકાર દ્વારા બેરોજગાર બનેલા, ડાયમંડના કારીગરો માટે ઓનલાઈન જોબ પોર્ટલ બનાવ્યું હતું. જેના થકી અત્યાર સુધીમાં 200 જેટલા બેરોજગાર રત્ન કલાકારોને સન્માનજનક પગાર સાથેની નોકરી આપવામાં આવી.
તેવામાં સુરત અને યુએસના ડાયમંડ ઉધોગકારોના ગ્રુપ દ્વારા બેરોજગાર રત્નકલાકારો માટે ખાસ ઓનલાઈન વેબ પોર્ટલ હાલ આવા કારીગરો માટે આશિર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરિયર ડાઉન્ડેશન નામની આ સંસ્થાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હીરાઉધોગ સાથે જોડાયેલા લોકો અને તેમના પરિવાર માટે આ ઓનલાઈન જોબ વેબપોર્ટલ શરૂ કરી હતી. જેને શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રત્નકલાકારો અને ડાયમંડ યુનિટ માલિકો વચ્ચે સેતુ બનવાનો હતો.
જે લોકો ઓનલાઈન જોબ માટે એક્સેસ નથી કરી શકતા તેઓ માટે આ સંસ્થાએ એક અલાયદો નંબર પણ જાહેર કર્યો છે. એવા અસંખ્ય કારીગરો છે જે આ લોકડાઉનમાં બેરોજગાર થયા છે, જેમને નોકરીની બહુ જરૂર છે. તો બીજી તરફ એવા ડાયમંડ યુનિટો પણ છે જેમને કુશળ રત્નકલાકારો જોઈએ છે. જોકે આ બંને વચ્ચે બહુ મોટો ગેપ છે, જેને દૂર કરવાનું કામ તેઓ હાલ કરી રહ્યા છે.
છેલ્લા એક મહિનામાં 36 જેટલી ડાયમંડ કંપનીઓએ રત્નકલાકારોની રિકવારમેન્ટની ઓફર મૂકી છે, જેની સામે 400 ડાયમંડ વર્કરોએ જોબ પોર્ટલ માટે રજીસ્ટર પણ કર્યું છે. અત્યારસુધી 200 જેટલા કારીગરોનો બેરોજગારીનો પ્રશ્ન હલ પણ થઈ ગયો છે.
એકતરફ બેરોજગરીના કારણે રત્નકલાકારો સહિત ઘણા લોકો નાસીપાસ થઈને આત્મહત્યા સુધીના અઘટિત પગલાં ભરી રહ્યા છે તેવામાં આ જોબ પોર્ટલ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને એવા રત્નકલાકારો માટે જેઓ મહિનાઓથી નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા હતા.
આ સંસ્થાએ આ લોકડાઉનમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ પણ કરી છે. પણ હવે કોઈ આ દિશામાં વિચારીને આવા પગલાં ન ભરે તે આશયથી આ જોબ પોર્ટલ ઉપયોગી સાબિત થઈ રહી છે..
આ પણ વાંચોઃ“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો