ગુજરાતમાં કોરોનાના નવા 1094 કેસ, 19ના મોત, 76 દર્દી વેન્ટીલેટર ઉપર
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 1094 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નિપજ્યા છે. તો 1015 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં આજની તારીખે કુલ 5.01 લાખ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે. જેમાંથી 5 લાખ લોકોને હોમ ક્વોરેન્ટાઈન છે. અને 991 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા […]
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 1094 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નિપજ્યા છે. તો 1015 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં આજની તારીખે કુલ 5.01 લાખ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે. જેમાંથી 5 લાખ લોકોને હોમ ક્વોરેન્ટાઈન છે. અને 991 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કોરોનાના 19 દર્દીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 9, અમદાવાદના 3, વડોદરાના 2, ગીરસોમનાથ, મહેસાણા, જૂનાગઢ, મોરબી. રાજકોટના એક એક દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 2767 ઉપર પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાના 14,359 દર્દીઓ એકટીવ છે. જેમાંથી 76 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 14,283 દર્દીઓની હાલત સ્થિર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો