નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની કરી જાહેરાત
ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને […]
ખેડૂતોને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શિયાળુ પાક માટે ખેડૂતોને પિયત આપવાની જાહેરાત કરી છે. નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે. સરકારના આ નિર્ણયથી કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાશે. જેથી ખેડૂતો શિયાળુ પાક સરળતાથી લઇ શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો