રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ
રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે ત્ચારે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર […]
રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે ત્ચારે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થઈ હતી.
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?
ધરપકડ બાદ હાર્દિકે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે જ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જો કે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું છે..જો કે વોરંટ ઇશ્યુ થયા બાદ હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો