વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને ટકોર, કોરોનાના કેસ વધુ છે, ટેસ્ટ વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહીત કોરોનાના વધુ કેસ હોય તેવા રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાત કર્યા બાદ, ટકોર કરી હતી કે કોરોનાના કેસ વધુ છે હવે ટેસ્ટ પણ વધારો. ગુજરાતમા કોરોનાના કહેર શરુ થયો ત્યારથી જ કોરોનાના ટેસ્ટ કરવાની વાત વિવાદાસ્પદ બની હતી. તજજ્ઞો વારંવાર ભાર દઈને સરકાર અને માધ્યમોમાં કહી રહ્યાં હતા કે ગુજરાતમાં બહુ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહીત કોરોનાના વધુ કેસ હોય તેવા રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાત કર્યા બાદ, ટકોર કરી હતી કે કોરોનાના કેસ વધુ છે હવે ટેસ્ટ પણ વધારો. ગુજરાતમા કોરોનાના કહેર શરુ થયો ત્યારથી જ કોરોનાના ટેસ્ટ કરવાની વાત વિવાદાસ્પદ બની હતી. તજજ્ઞો વારંવાર ભાર દઈને સરકાર અને માધ્યમોમાં કહી રહ્યાં હતા કે ગુજરાતમાં બહુ ઓછા ટેસ્ટ કરવામાં આવે છે. જે રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે તે જોતા ટેસ્ટીગ વધારવા જરૂરી છે. તજજ્ઞોની આ વાત ને જ વડાપ્રધાને દોહરાવી છે. વડાપ્રધાને કહ્યુ કે જ્યા કોરોના પોઝીટીવના કેસ વધુ આવે છે તેવા રાજ્યોમાં કોરોનાના ટેસ્ટીગ બહુ ઓછા થાય છે. આવા રાજ્યોમાં કોરોનાના ટેસ્ટ વધારવા જોઈએ. ગુજરાત, ઉતરપ્રદેશ, બિહાર, તેલગણા અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસ વધુ આવે છે પણ ટેસ્ટીગ ઓછા કરવામાં આવતા હોવાની ટકોર કરી હતી. હવે વડાપ્રધાનની ટકોર બાદ જોવાનુ એ રહે છે કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ કેટલા વધારવામાં આવે છે ?
આ પણ વાંચોઃધારાસભ્ય કેશરીસિહે સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ, શુભેચ્છકોનુ ટોળુ ભેગુ કરી પાડ્યા ફોટા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો