2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?
2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ફરી સત્તાના નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પોતાનો વિચાર સ્પષ્ટ કરતાં કહ્યું કે, આજે દેશની જે સ્થિતિ છે તેને જોતાં આગામી ચૂંટણીમાં એક સાથે મળીને લડવાની જરૂર છે અને તેના માટે જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. […]
2019ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં ફરી સત્તાના નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પોતાનો વિચાર સ્પષ્ટ કરતાં કહ્યું કે, આજે દેશની જે સ્થિતિ છે તેને જોતાં આગામી ચૂંટણીમાં એક સાથે મળીને લડવાની જરૂર છે અને તેના માટે જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલાં શું જમીન પરત કરી ભાજપ રામ મંદિર બનાવવનો રસ્તો કરી રહ્યું છે સાફ ?
અમદાવાદમાં આજે શરદ પવારની હાજરમાં શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેશ ધારણ કર્યું છે. જ્યારે તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સત્તામાં છે ત્યારે ભાજપ સિવાયના તમામ પક્ષો એકસાથે મળીને એક પ્લેટફોર્મ પર આવીને ભાજપને હટાવવા માટે કામ કરવું જોઇએ. તેમજ આ પ્રસંગે તેમણે શંકરસિંહ વાઘેલાને NCPના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ નિમણુંક કર્યા છે.
જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન પર શરદ પવારે કહ્યું કે, 48 બેઠકોમાંથી 44 બેઠકો પર ગઠબંધન બન્યું છે. જ્યારે અન્ય બેઠકો પર હજી નિર્ણય લેવાનો બાકી છે. જેના પર પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
જો મહાગઠબંધન બને છે તો તેના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવામાં આવશે જેના પર શરદ પવારે કહ્યું કે, 2004માં અમે અલગ અલગ ચૂંટણી લડ્યા બહતા. જે પછી બધાએ ભેગા થઈને વડાપ્રધાનની પસંદગી કરી હતી. જેના માટે તમામ પક્ષો એકજૂથ થઇને નિર્ણય લેશે.
[yop_poll id=”891″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]