ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસનો આંક 27 હજારને પાર
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 580 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 655 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6296 છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 25 લોકોના જીવ ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 580 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 655 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6296 છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 25 લોકોના જીવ ગયા છે.
આ પણ વાંચો : ચીન પછી આ દેશ પણ કરી રહ્યો છે બોર્ડર પર ભારત વિરોધી ગતિવિધિ, રેડિયોને બનાવ્યું હથિયાર!
ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 27 હજારને પાર પહોંચી ગઈ
રાજ્યમાં કોરોના વાઈરસના પ્રતિદિવસ સામે આવી રહેલાં કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27,317 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાઈરસની સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા હોય એવા લોકોની સંખ્યા પણ વધીને 19,357 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ મોતની સંખ્યા 1,664 થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 18,837 થઈ ગઈ છે. જ્યારે કુલ 1,332 લોકોના મોત અમદાવાદ જિલ્લામાં કોરોનાના લીધે થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો