ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 572 નવા કેસ, 25ના મોત, જાણો તમામ જિલ્લાની વિગત
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં નોંધાયેલા કેસ કરતાં વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 575 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યાં છે. Facebook પર તમામ […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 572 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં નોંધાયેલા કેસ કરતાં વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 575 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યાં છે.
ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 29 હજારને પાર
ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલાં 572 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 29,001 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી અત્યારસુધીમાં ગુજરાતમાં 21,096 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,736 લોકોના જીવ ગયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે કોરોનાના સૌથી વધારે કેસ
છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે તો સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 215 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 172 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 19,601 થઈ ગઈ છે. જ્યારે ફક્ત અમદાવાદ જિલ્લામાં જ કોરોના વાઈરસના લીધે 1,378 લોકોએ જીવ ગુમાવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]