વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?

ગુજરાતમાં હવે બીજેપી 26 સીટો જીતવા માટે જાદુગરોનો સહારો લેવા જઇ રહી છે. ચૂંટણી કેમ્પેઇન માટે બીજેપી 50થી વધુ જાદુગરોને ગુજરાતના વિવિધ લોકસભા સીટો ઉપર ઉતારશે. તેમાં પણ આ જાદુગરોને નાગપુરથી ખાસ બોલાવાયા છે. ત્યારે ગુજરાતના જાદુગરોમાં નારાજગી વર્તાઇ રહી છે. આ મુદ્દે હાલ તો સ્થાનિક બીજેપીના નેતાઓ કઇ બોલવા તૈયાર નથી, તો કોગ્રેસ આ […]

વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણી જીતવા હવે ભાજપ લેશે નાગપુરથી આવેલા જાદુગરોની મદદ, શું જાદુગરો જીતાડી શકશે 26 માંથી 26 બેઠકો ?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Apr 01, 2019 | 8:39 AM

ગુજરાતમાં હવે બીજેપી 26 સીટો જીતવા માટે જાદુગરોનો સહારો લેવા જઇ રહી છે. ચૂંટણી કેમ્પેઇન માટે બીજેપી 50થી વધુ જાદુગરોને ગુજરાતના વિવિધ લોકસભા સીટો ઉપર ઉતારશે. તેમાં પણ આ જાદુગરોને નાગપુરથી ખાસ બોલાવાયા છે. ત્યારે ગુજરાતના જાદુગરોમાં નારાજગી વર્તાઇ રહી છે. આ મુદ્દે હાલ તો સ્થાનિક બીજેપીના નેતાઓ કઇ બોલવા તૈયાર નથી, તો કોગ્રેસ આ મુદ્દે હવે કટાક્ષ કરી રહી છે.

લોકસભા દીઠ જાદુગરોની બે ટીમ

બીજેપી ગુજરાતમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ થીમ ઉપર કેમ્પેઇન લોન્ચ કરી રહી છે. પ્રથમ તબક્કામાં બીજેપીએ લાઇવ ટબ્લો લોન્ચ કર્યું. જેમાં ગુજરાતના લોક ગાયકો ગીતોના માધ્યમથી મતદારો સુધી બીજેપીના ગુણગાન રજુ કરાશે. 5 એપ્રિલથી બીજેપી હવે જાદુગરોના લાઇવ શોની થીમ ઉપર પ્રચાર અભિયાન લોન્ચ કરશે.

આ પણ વાંચો : મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જેમાં લોકસભા પ્રમાણે જાદુગરોના બે ટીમ તૈયાર કરાશે જે લોકસભા દીઠ આવેલ વિધાનસભામાં બીજેપીની ઉપલ્બધીઓ ગણાવતુ શો કરશે અને મતદારોને આકર્ષશે. પણ તમને એ પણ બતાવી દઇએ કે આ વખતે આ જાદુગરોને નાગપુરથી બોલવાયા છે. જેને લઇને ગુજરાતના જાદુગરોને અન્યાય થવાની લાગણી થઇ રહી છે.

ગુજરાતી જાદુગરોના બદલે નાગપુરી જાદુગરોને લઇને કચવાટ

તમને એ પણ બતાવી દઇએ કે 2017માં બીજેપીએ વિધાનસભામાં જાદુગર થીમ ઉપર કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. ગુજરાતના જાદુગરોને જ સમગ્ર કામગીરી સોપાઇ હતી ત્યારે બીજેપીના 150ની ટાર્ગેટ સામે માત્ર 99 સીટ આવી હતી. પણ આ વખતે સ્થાનિક જાદુગરોના બદલે નાગપુરી જાદુગરોને સમગ્ર કોન્ટ્રાક્ટ અપાતા સ્થાનિક જાદુગારોમાં નારાજગી છે. કારણ કે ગુજરાતીઓને તકો આપવાના બદલે બીજેપી પોતે બહારના લોકોને કામ આપી રહી છે. જેના કારણે સ્થાનિકો જાદુગરોમાં રોષ છે ત્યારે સ્થાનિક જાદુગરો હવે કોગ્રેસનો સંપર્ક પણ કરી શકે છે.

જાદુગરીના ખેલ ઉપર વાર પ્રતિવાર

આ મુદ્દે બીજેપીના સ્થાનિક પ્રવક્તા માનીએ તો પાર્ટી વિવિધ સમયે પ્રચાર પ્રચારની અલગ અલગ થીમ ઉપયોગ કરતી હોય છે.આ જ ચલનમાં જાદુગરોનો શો પણ છે પણ કોને કામ આપવુ કોને નહી તે હાઇ કમાન્ડ જ નક્કી કરે છે. આ મુદ્દે કોગ્રેસના પ્રવક્તા હિમાશુ પેટલની માનીએ તો બીજેપી હવે ગુજરાતમાં જનાધાર ગુમાવી રહી છે જેથી 2017માં પણ તેઓએ એ કિમિયો અપનાવ્યો હતો પણ માત્ર 150 સીટની સામે 99 સીટ બીજેપીને મળી હતી. ત્યારે આ વખતે તો આર એસ એસના હેડક્વાર્ટર છે ત્યાંથી જાદુગરોને બોલાવાયા છે. એટલે સ્થાનિક જાદુગરો બદલે નાગપુરીયા જાદુગરો કેવી રીતે બીજેપીને મત અપાવી શકશે બીજેપીની હતાશા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">