ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક […]

ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 2:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો.

ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક દિવસમાં 8 હજાર પ્રવાસીઓની રોપ-વે વહનની ક્ષમતા ધરાવે છે. રોપ–વે પ્રોજેક્ટ માટે કુલ 9 ટાવર બનાવાયા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એકસાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રવાસીઓએ આ સેવાના બદલામાં રિટર્ન ટિકિટ માટે 750 રૂપિયા ખર્ચવા પડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રોપ-વેનું એક તરફનું 450 રૂપિયા ભાડું રાખવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય જો મંદિરે રોકાવાનું થાય તો ભાડામાં 100 રૂપિયાનો વધારો થશે. હવે આપણે પ્રવાસન વિભાગને રોપ-વે થકી કેટલી આવક થશે તે જાણવા આગળ વાંચો.

દિવસના 8 હજાર પ્રવાસીઓ અને પ્રત્યેક વ્યક્તિ ટિકિટ દર 750 રૂપિયા લેખે ગણતરી કરતા દરરોજની 60 લાખ રૂપિયાની આવકનો અંદાજ છે. આમ, પ્રવાસીઓ માટે મોંઘી યોજના થકી પ્રવાસન ઉદ્યોગને કરોડોની આવક થશે. આમ, રોપ-વેની મજા માણવી પ્રવાસીઓ માટે મોંઘી સાબિત થશે. પરંતુ, સ્થાનિક રોજગારીમાં વધારો થશે તે નક્કી છે.

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકાર્પણના કાર્યક્રમ બાદ પણ નાગરિકો રોપ-વે સેવાનો લાભ નહીં શકે. અને, સ્થાનિકોને આ સેવાના ઉપયોગ માટે વધુ 10 દિવસની રાહ જોવી પડશે.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું 2007માં ખાતમૂહુર્ત થયું હતું. જોકે એક પછી એક પડકારોનો સામનો કર્યા બાદ હવે ગિરનાર રોપ-વે બનીને તૈયાર છે. ગિરનાર સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓ એશિયાના સૌથી લાંબા રોપ-વેનો નજારો જોવા ઉત્સુક છે. 2.13 કિલોમીટર લાંબી આ રોપ-વે ગુજરાતનું આગવું નજરાણું બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">