કોરોનાના દર્દીઓ માટે જાહેર કરાયેલ નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાંથી જીવાત નિકળી
અમદાવાદના નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી જીવાત નિકળી છે. નિકોલની કોઠીયા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ દર્દીએ વાયરલ કરેલ વિડીયોમાં મગની દાળમાથી જીવાત કાઢીને બતાવવામાં આવી રહી છે. દર્દીઓએ જીવાત નિકળવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોઠીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ છે. અને મહાનગરપાલિકા દર્દીઓને અપાતા ભોજન માટે લાખ્ખો રૂપિયા અપાતા હોય છે. હલકી ગુણવત્તાનુ […]
અમદાવાદના નિકોલની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાંથી જીવાત નિકળી છે. નિકોલની કોઠીયા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ દર્દીએ વાયરલ કરેલ વિડીયોમાં મગની દાળમાથી જીવાત કાઢીને બતાવવામાં આવી રહી છે. દર્દીઓએ જીવાત નિકળવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોઠીયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ છે. અને મહાનગરપાલિકા દર્દીઓને અપાતા ભોજન માટે લાખ્ખો રૂપિયા અપાતા હોય છે. હલકી ગુણવત્તાનુ ભોજન કેમ અપાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર સામે કેમ પગલા નથી લેવાયા તેવા સવાલો ઊભા થયા છે.