ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 624 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મોત
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના નવા 624 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 કલાકમાં 391 દર્દીને રજા પણ આપવામાં આવી છે. કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય એવા કુલ 3,63,306 […]
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના નવા 624 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 કલાકમાં 391 દર્દીને રજા પણ આપવામાં આવી છે. કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય એવા કુલ 3,63,306 દર્દીના ગુજરાતમાં અત્યારસુધીમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
In the last 24 hours, 624 #COVID19 positive cases and 19 deaths have been reported in #Gujarat. State tally rises to 31,397 including 22,808 cured/discharged and 1,809 deaths: State Health Department#TV9News #GujaratCoronaUpdate #gujaratcorona pic.twitter.com/MFsMNrCyo8
— tv9gujarati (@tv9gujarati) June 28, 2020
આ પણ વાંચો : ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ
ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31,397 થઈ ગઈ
રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31,397 થઈ ગઈ છે. કોરોના વાઈરસની સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને કુલ 24,562 લોકો ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1809 દર્દીના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં જિલ્લામાં નોંધાયા છે અને તેની સંખ્યા 211 છે. જ્યારે સુરત જિલ્લામાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લાં 24 કલાકમાં 182 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો