ગુજરાતમાં વધી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 626 નવા પોઝિટિવ કેસ
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં જ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 626 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 440 કોરોના પોઝિટિવ દર્દી જે સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે કુલ 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ […]
ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં જ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 626 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 440 કોરોના પોઝિટિવ દર્દી જે સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે કુલ 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જે વસ્તુ માટે ભારત હતું ચીન પર નિર્ભર, હવે એ જ વસ્તુઓ દુનિયાભરના દેશને કરશે નિકાસ!
ગુજરાતમાં એક્ટિવ દર્દીની સંખ્યા 6,947 થઈ
ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 6,947 થઈ ગઈ છે. આ એક્ટિવ કેસમાં 63 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6884 દર્દીની તબિયત સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 23,248 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે ગુજરાતમાં કુલ મોતનો આંક 1,828 સુધી પહોંચી ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો